અલભ્ય તત્વોનું લભ્ય સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયા સમજો

જમીનમાં ઘણા સેન્દ્રિય સંયોજકો જેવાં કે ટ્રાયકેલ્શિયમ ફોસ્ફેટ કે ફોસ્ફરસના અન્ય ક્ષારો કે જે પાણીમાં અદ્રાવ્ય છે તેમાં રહેલું ફોસ્ફરસ તત્વ સીધે સીધું છોડને પ્રાપ્ય થતું નથી. ફોસ્ફેટ સોલ્યૂબિલાઈઝિંગ સૂક્ષ્મજીવાણુઓ વિવિધ કાર્બનિક > એસિડ ઉતપન્ન કરે છે, જેના દ્રારા ટ્રાઈકેલ્શિયમ ફોસ્ફેટ અને ક્ષારોનું મોનોકેલ્શિયમ ફોસ્ફેટમાં રૂપાંતર થઈ છોડને મળે છે. અમુક પ્રકારના બેક્ટેરીયા સિલિકેટ ખનિજનુ પણ વિઘટન કરી પોટેશિયમ તથા સિલિકોન છૂટુ પાડે છે. ઘણા સૂક્ષ્મજીવો બોરોન, ગંધક, લોહ વગેરેનું પ્રવાહીકરણ કરે છે અને તેઓને છોડ લઇ શકે તેવી લભ્ય અવસ્થામાં લાવે છે.

Tags

Share this post: