
કોઈપણ જંતુનાશકનો વપરાશ નિયત માત્રામાં જે તે પાક પર કરવામાં આવે અને કાપણી પછી તેના અવશેષો મૂળ સ્વરૂપે કે તેનાથી બદલાયેલ સ્વરૂપે હોય અને જો મનુષ્ય/ પ્રાણી/ ઉપયોગી સજીવો પર નુકસાન કરે તેમ હોય તો તે ‘જંતુનાશકોના અવશેષ’ તરીકે ઓળખવામાં આવે છે.આવા અવશેષો ના રહે તેવીરીતની ખેતીને અવશેષ મુક્ત ખેતી કહે છે .



