આપણા પાકોમાં ઉત્પાદન ઓછું આવવાના કારણોમાં છોડને લાગતા આઘાતો

આપણા પાકોમાં ઉત્પાદન ઓછું આવવાના કારણોમાં છોડને લાગતા આઘાતો મુખ્ય છે આઘાતો બે પ્રકારના હોય છે એક છે જૈવિક આઘાત અને બીજો છે અજૈવિક આઘાત . જૈવિક આઘાતમાં રોગ , જીવાત, વાયરસ , પશુ , પક્ષીના લીધે છોડને આઘાત એટલે કે સ્ટ્રેશ આવે છે તે નુકસાનમાંથી બચવા માટે છોડને વધારાની શક્તિ નો ખર્ચ કરવો પડે છે જે ઉત્પાદન ઘટાડે છે . જૈવિક આઘાત આપણે જોઈ શકીયે છીએ એટલે આપણે છોડની વહારે જઇએ છીએ પણ અજૈવિક આઘાતની તો આપણે જરાય પરવા નથી અને ખબરેય નથી કે છોડ ને શેની જરૂર છે ? જેનાથી ઉત્પાદનમાં મોટો માર પડે છે

દા .ત . વધુ પડતી ગરમી , તીવ્ર ઠંડી , પાણીની અછત કે વધુ પડતા પાણીથી મૂળની ગૂંગળામણ , પાણી અને જમીનની ખારાશ વગેરે. આપણે તો કહીયે આજે પાણી આપી દીધું હવે 3 દિવસે આપશું .આ બધા બચવા માટે હવે બધા પાળા એટલે કે રેઈઝ બેડ ઉપર ખેતી અને મ્લચીંગ- ડ્રિપ સાથે ખાતર આપે છે એટલે ઘણા ખરા લાભ પાકને મળી જાય છે .

જો તમે 10 વિઘા થી વધુ મરચી નો પાક ડ્રિપ થી લેતા હો તો તમારે 16 માર્ચ 2025 ના રોજ રાજકોટમાં યોજાનાર સેમિનાર ચીલી કી પાઠશાળા માં ભાગ લેવો જોઈએ . વધુ વિગત તથા જોડાવા શું કરવું તે માટે માટે વોટ્સએપ કરો 9825229966

Share this post: