ઈસબગુલમાં નીંદણ નિયંત્રણ 

* ઉત્તર ગુજરાતમાં ઈસબગુલના પાકમાં નીંદણ નિયંત્રણ માટે પાકની વાવણી બાદ ૩૦ દિવસે એક હાથ નીંદામણ કરવું પરંતુ હાથથી નીંદામણ કરવું મુશ્કેલ હોય કે મજૂરોની અછત હોય તેવા સંજોગોમાં પાકની વાવણી પહેલાં ૧૦ દિવસે આઈસોપ્રોટ્યુરોન હેકટર દીઠ ૦.૫૦ કિ.ગ્રા. છાંટવાથી પણ પાકનું ઉત્પાદન અર્થક્ષમ રીતે વધારી શકાય છે. જો આ શક્ય ન બને તો આઈસોપ્રોટ્યુરોન હેકટર દીઠ ૦.૫૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છાંટવું. પરંતુ આવા કિસ્સામાં દવા છાંટ્યા બાદ ૧૦ દિવસ સુધી પાણી આપવું નહિ.

* ઉત્તર ગુજરાત વિસ્તારમાં ઈસબગુલના પાકમાં વાવણી બાદ ૩૦ દિવસે એક વખત હાથ વડે નીંદામણ અથવા વાવણી બાદ ૨૦ અને ૪૦ દિવસે એમ બે વખત હાથ વડે નીંદામણ કરવાની અથવા આઈસોપ્રોટ્યુરોન હેકટર દીઠ ૦.૫૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.

* દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત-હવામાન વિસ્તારમાં ઈસબગુલના પાકમાં ૨૦ અને ૪૦ દિવસે હાથ નીંદામણ કરવા સલાહ છે. જ્યાં મજૂરો ઉપલબ્ધ ન હોય ત્યાં આઈસોપ્રોટ્યુરોન ૦.૫૦ કિ.ગ્રા./હે. પ્રિઈમરજન્સ તરીકે છંટકાવ કરવો.

Share this post: