
સપાટ ક્યારા પૂર્વથી પશ્યિમમાં ૧ મીટર પહોળી અને ઉત્તરથી દક્ષિણ દિશામાં ૩-૫ મીટર લંબાઈની જરૂરિયાત મુજબ તૈયાર કરવી જોઈએ. જમીન તૈયાર કર્યા પછી, ખાતર અને ખાતરોની ભલામણ કરેલ માત્રા નર્સરી બેડમાં મિશ્રિત કરવામાં આવે છે. વરસાદની મોસમમાં ભારે વરસાદ અથવા વધુ સિંચાઈવાળા વિસ્તારમાં કયારાની સંભાળ રાખવા માટે અને નિતારની વ્યવસ્થા માટે બે હરોળ વચ્ચે ૩૦-૪૦ સે.મી.નું અંતર રાખવામાં આવે છે. આવા ક્યારા ઉનાળા અને શિયાળા દરમિયાન તૈયાર કરવામાં આવે છે જેથી પાણીનો ભરાવો તેમજ ક્યારા બનાવવા માટે અડચણ ન થાય.



