
નીંદામણ ઓછું ઊગે તે માટે…
[1] પાક પૂરો થયે જમીન ઉથલાવીને ફેરવી નાખે તેવી ઊંડી ખેડ કરવાથી જમીનની ઉપલી સપાટીમાં ખરેલાં બીજ ઊગી ન શકેતેટલા ઊંડા ધરબાઇ જાય છે ને ચીઢો, ધરો, નોળી જેવાં નીંદામણો મૂળસોતા નાશ પામે છે
[2] ભાલની ડાંગર-ઘઉંની ક્યારીઓમાં ચોમાસે પાણી ભરી રાખવાથી નીન્દામણના બીજ સડી જાય છે.
[3] ખૂબ ઝડપથી વધતા લીલા પડવાસ જેવા પાકો વારાફરતી જમીનમાં વાવતાં રહેવાથી નીંદામણ દબાઇ રહેશે અને લીલા પડવાસનો પાક ખેડતાં સાથોસાથ જમીનમાં દબાઇ તેનું ખાતર થઇ જશે.
[4] મોલાતના પાટલામાં વારંવાર આંતરખેડ કરતાં રહેવું અને ચાસમાંથી દાતરડીથી બને એટલી ઊંડાઇએથી નીંદતા રહેવું.
[5] એકનો એક પાક વારંવાર એનીએ જમીનમાં નહીં વાવતા પાકની ફેરબદલી કરતા રહેવું.
[6] ખાતર આપવાની પધ્ધતિ પુંકવાની નહીં રાખતાં બને ત્યાં સુધી ખાતર ચાસમાં ઓરીને આપવું.
[7] શક્ય હોય ત્યાં સુધી ટપક પિયત પધ્ધતિથી પિયત આપવાનું ગોઠવવું જેથી નીંદામણ ઓછું ઊગશે.
[8] “ચોકડી પધ્ધતિ” થી કપાસ, દિવેલા, તુવેર જેવા પાકો વાવવાથી બન્નેબાજુ સાંતી ચલાવાય તો નીંદામણનો ત્રાસ ઘટે.
[9] બહુ નીંદામણ થતું હોય તે જમીનમાં નીંદણને ઢાંકી દે તેવા વેલાવાળા પાકોનું વાવેતર કરીએ.
[૧૦] નાં છૂટકે નીન્દામણ ઉગતા પહેલા અને ઉગ્યા પછી છંટકાવ કરી નિયંત્રણમાં લેવાના નિંદણ નાશક રસાયણો વાપરીએ .



