પાક્યા પછી ફળોમાં સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થતો બગાડ : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

પાક્યા પછી ફળો માં સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થતો બગાડ વિશે જણાવતાં સર્વશ્રી ડૉ.આર. આર. ગજેરા બાગાયત મહા વિદ્યાલય,
બં. અ. કૃષિ મહા વિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦
(મો.) ૯૮૯૮૦ ૮૫૬૦૮

પાક્યા પછી ફળો માં સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થતો બગાડ ઃ
આ પ્રકારનો બગાડ જુદા જુદા સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા ફળ અને શાકભાજીને ઉતારતી વખતે તેની હેરફેરમાં, તેના પ્રોસેસિંગમાં તેમજ સંગ્રહ સ્થાનમાં થતો હોય છે. આવા સૂક્ષ્મજીવાણુઓ અનેક પ્રકારના હોય છે, પરંતુ બગાડ માટે ચોકકસ પ્રકારના બેકટેરીયા, યીસ્ટ અને મોલ્ડ મુખ્ય હોય છે.
બેકટેરીયા ઃ બેકટેરીયાના અગત્યના ગૃપમાં એરોબ્સ, કોકસ, બેસીલસ, કોકોબેસીલસ, ફેકલટેટીવ, ઓબલીગેટ એનરોબ્સ તેમજ સાઈક્રોફીલસ, મેસોફીલસ અને થમર્ાેફીલસ વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારના બેકટેરીયા અલગ – અલગ વાતાવરણમાં ફળ અને શાકભાજીમાં બગાડ લાવે છે. સામાન્ય રીતે તેમની પ્રવૃતિ ૩૭્રસે. તાપમાનની આજુ-બાજુ મહત્તમ હોય છે. બેકટેરીયાનો નાશ કરવા માટે ચોકકસ પ્રકારે ચોકકસ સમય માટે ગરમી આપી ફળ અને શાકભાજીમાં થતો બગાડ અટકાવી શકાય છે

Share this post: