
ખેડૂત મિત્રો નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ માટે યુરિયા, ડીએપી, એમોનિયમ સલ્ફેટ, કેલ્શિયમ એમોનિયમ નાઈટ્રેટ, મિશ્રખાતરો વગેરે આપવા જોઈએ ત્યારે ગૌણતત્વો માટે કેલ્શિયમ અને મેગ્નેશિયમ અને ગંધક માટે જીપ્સમનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે સૂક્ષ્મતત્ત્વોની પૂર્તિ માટે સૂક્ષ્મતત્ત્વો યુક્ત ખાતરો વાપરવા જોઈએ. જેવા કે જસત માટે ઝીંક સલ્ફેટ, લોહ માટે ફેરસ સલ્ફેટ જે હિરાકશીના નામે પણ ઓળખાય છે, કોપર (તાંબુ) માટે કોપર સલ્ફેટ (મોરથુથું), બોરોન માટે બોરિક એસિડ અથવા તો બોરેક્ષ જે ટંકણ ખાર તરીકે પણ ઓળખવામાં આવે છે.



