બાયોચાર બનાવવાની પ્રક્રિયા

બાયોચારનું ઉત્પાદન પાયરોલિસિસ તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા થાય છે, એટલે કે ઓક્સિજનના મર્યાદિત પુરવઠા હેઠળ અને પ્રમાણમાં ઓછા તાપમાને (૪૦૦-૭૦૦ સે.) ઓર્ગેનિક સામગ્રી (લાકડાના નાના ટુકડા / ચોસલા /સાંઠીકડા, પાકનો કચરો વગેરે) નું થર્મલ વિઘટન. પાયરોલિસિસ પ્રક્રિયા ઘણીવાર ચારકોલ (લાકડીયો કોલસો / સાદો કોલસો) ના ઉત્પાદનને પ્રતિબિંબિત કરે છે, જે કદાચ માનવજાત દ્વારા વિકસાવવામાં આવેલી સૌથી પ્રાચીન ઔદ્યોગિક તકનીક છે. જાે કે, પાયરોલિસિસ પ્રક્રિયા ચારકોલ (સાદો કોલસો) અને તેના જેવી સામગ્રીઓથી પોતાને અલગ પાડે છે કારણ કે બાયોચારનું ઉત્પાદન માટીની ફળદ્રુપતા સુધારવા, જમીનમાં રહેલા પોષકતત્વોને ફિલ્ટર કરવા, જાળવી રાખવા તદુપરાંત જમીનમાં કાર્બનનું પૂરતું પ્રમાણ જાળવી રાખવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવે છે.

Share this post: