
મેહુલભાઇ રાણપરીયા મુ. ધોળીધાર, તા. ગોંડલ, જી. રાજકોટ, મારા અનુભવની તો હું શું વાત કરું હું તો હજી નાનો અને નવો ખેડૂત મારો તો શું અનુભવ હોય છતાં આપ સૌને જણાવુ તો મારા પિતાજી કર્તવ્ય સીડ્સનું કર્તવ્ય ૧૦૧ પસંદ કર્યું સાથે એમના જેવી બે અન્ય જાતો પણ વાવી કુલ ત્રણ વિધાની મરચી વાવી શરૂઆતમાં વરસાદની ઘણી કઠણાઇ ઓ પડી ને ખુબ હેરાન થયા. આખરે વરસાદ પછી મરચી એ વેગ પકડીયો આખરે ત્રણ વીઘા માંથી ૬૦ મણ એટલે કે વિધે ૨૦ મણ એક જ મિનિટમાં નીકળ્યું અને હજી તો છોડ પર ઘણુ મરચું છે.



