
જમીનનું સેન્દ્રિય તત્વ, જમીનની ફળદ્રુપતા તેમજ તેના સુધારામાં તેમજ જાળવણીમાં સૂક્ષ્મજીવો અગત્યનો ભાગ ભજવે છે. સેન્દ્રિય તત્વનું પ્રાથમિક ઉદ્ભવ સ્થાન છોડના અવશેષો છે. પશુઓ સેન્દ્રિય તત્વનું બીજુ ઉદભવસ્થાન છે. જમીનનું સેન્દ્રિય તત્વ છોડ માટે જરૂરી પોષકતત્વોનું એક સંયોજન છે કે જે તે પરિસ્થિતિમાં છોડ માટે સીધેસીધું વાપરવું/ ઉપયોગમાં લેવું શક્ય નથી, તેથી સેન્દ્રિય તત્વોના સંયોજનનું વિઘટન થઈ સરળ અને ઉપ્લબ્ધ થાય તેવા તત્વોમાં રૂપાંતરણ થવું જરૂરી છે.



