સૂર્યપ્રકાશની કિંમત.

છોડ પોતાના મૂળ દ્વારા પાણી અને પોષક તત્વો ખેંચે છે પરંતુ જમીનની બહારના વિશ્વમાં એટલે કે વાતાવરણમાં સૂર્યપ્રકાશ ન હોય તેમજ ઓક્સિજન ન મળે તો પાંદડું નવો ખોરાક બનાવવાનું અટકાવી દે છે. એટલે જ વધુ પડતા વરસાદથી ખેતર તરબોળ થઈ ગયા હોય તો મૂળને પૂરતો ઓક્સિજન મળતો નથી અને વાતાવરણ વાદળાથી ગોરંભાયેલું હોય તો સૂર્યનારાયણની ગેરહાજ પાંદડાંને સાલે છે. વરસાદ પછી આપણે વાવણી માટે વરાપ ઝંખીએ છીએ એવી જ રીતે સારી વાવણી પછી આપણે ઉઘાડની ઝંખના કરીએ છીએ. ખેતી પાકોના દરેક તબક્કે વરસાદ અને ઉઘાડની સંતાકુકડી ચાલુરહેવી જોઈએ.