સોઇલ કાર્બન વિષે જાણો.

આ ધરતી પર વસવાટ કરતાં દરેક જીવ પછી તે સૂક્ષ્મ જીવાણુ હોય, પશુપક્ષી હોય કે પછી વનસ્પતિ હોય તે દરેકના જીવનનો આધાર જમીનના સ્વાસ્થ્ય પર રહેલો છે. માટે જ જમીનના સ્વાસ્થ્યની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે. જમીનના સ્વાસ્થ્ય માટે જમીનમાં રહેલા સેન્દ્રિય કાર્બનનું ખૂબ જ મહત્ત્વ છે. આમ આ જમીનનો સેન્દ્રિય કાર્બન એ એક જમીન, વનસ્પતિ, સમુદ્ર અને વાતાવરણમાં થતાં વૈશ્વિક કાર્બન સાઈકલનો એક ભાગ છે. દિવસેને દિવસે થઈ રહેલી ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ તથા ઓછા થતાં જતાં સેન્દ્રિય ખાતરોના ઉપયોગના લીધે જમીનમાં સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ ઘટતું જાય છે.

આમ તો આપણાં આખા દેશમાં સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. આ ઓછા સેન્દ્રિય કાર્બનનું કારણ જોઈએ તો આપણા દેશમાં વિષુવવૃત્ત મધ્યમાંથી પસાર થાય છે માટે અહીં સૂર્યના કિરણો જમીન પર સીધા પડે છે, જ્યારે સૂર્યપ્રકાશના કિરણો સીધા જ જમીનના સંપર્કમાં આવે ત્યારે જમીનમાં રહેલ કાર્બન વિઘટન થઈ જઈને તે વાતાવરણમાં નાશ પામે છે, સાથે સાથે જમીનમાં રહેલા કાર્બનિક પદાર્થોનું વિઘટન થવાના લીધે જમીનમાંનો કાર્બન વિઘટિત થઈને વાતાવરણમાં ભળી જાય છે; માટે તેનું પ્રમાણ જાળવી રાખવું થોડું મુશ્કેલ છે. વધુમાં જોઈએ તો તેની સામે આપણી પાસે સેન્દ્રિય ખાતરોની માત્રા પણ ખૂબ જ ઓછી ઉપલબ્ધ છે. માટે તેનો ઓછો ઉપયોગ થવાના લીધે જમીનમાં તેનું પ્રમાણ સતત ને સતત ઘટતું જાય છે.

મોટા ભાગના ખેડૂતો વર્ષમાં એકાદ વખત જ છાણિયા/સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરતાં હોય છે. તો આવા કારણોના લીધે આપણી જમીનોમાં કાર્બનની માત્રા ઘણી જ ઓછી જોવા મળે છે. હવે આપણી જમીનમાં સેન્દ્રિય કાર્બન ઘટવાના કારણે ખાતરોની કાર્યક્ષમતા ઘટી રહી છે. વધુમાં જમીનમાં પાણીની સંગ્રહક્ષમતા પણ ઘટી ગઈ છે જેના લીધે વધુ વખત પિયત કરવાની જરૂર પડી રહી છે. આમ વધુ પિયતના લીધે પાણીના તળ દિવસેને દિવસે નીચા જઈ રહ્યા છે. સાથે સાથે જમીનની ઉપરનું ફળદ્રુપ આવરણ પણ ધોવાણ થઈ રહ્યું છે; જમીનમાં જો પૂરતી માત્રામાં સેન્દ્રિય કાર્બન ઉપલબ્ધ હોય તો તે માટીનાકર્ણાને એકબીજા સાથે જડીને રાખે છે પરંતુ તેની માત્ર ઘટવાથી દરકે પિયતની સાથે માટીના કણોનું પણ ધોવાણ થઈ રહ્યું છે.

Share this post: