
જમીન અને ઉત્પાદકતા જોડાયેલી છે જમીનને સુધારવી હોય તો જરૂરી ખેડ, જમીનજન્ય રોગ જેવા કે ઉગસુક , સુકારો , પીથીયમ જેવા રોગો સામે જરૂરી પગલા લેવા જરૂરી જૈવિક કંટ્રોલનો ઉપયોગ, જમીનમાં નિતાર સારો હોવો જોઈએ જો પાણી ભરાય રહેતું હોય તો તે જમીનમાં હવા ઉજાસ રહેતો નથી, જમીનમાં પાણી પચે, બેલેન્સ ન્યુટ્રીયન્ટ એટલે કે સપ્રમાણ ખાતર અને પી.એચ. ખુબ જ અગત્યનો છે. એટલેજ બોલકી ધરતી કહે છે કે ધરતીની સોઇલ કેમેસ્ટ્રી જે ખેડૂત સમજે તેને નફાકારક ખેતી કરતા કોઈ રોકી શકે નહિ. આ માટે જોઈએ પાણી અને માટીનું એનએબીએલ લેબમાં પરીક્ષણ .આ ચોમાસા પહેલા તમે તમારી બોલકી ધરતીની તબિયત માટે પ્રિ હેલ્થ ચેકઅપ કરાવી લીધું તે બધા ખેડૂતોને અભિનંદન



