જીરૂ વાળા ખેતરમાં જીરું નહિ , પાક ફેરબદલી કરવી.

જુદા જુદા ખરીફ પાકો જેવા કે બાજરી, જુવાર, મકાઈ, તલ, મગ, ચોળી કે મગફ્ળી પછી જીરૂની ખેતી સરળતાથી કરી શકાય છે. જુરુ વાળા ખેતર માં સતત જીરું કરવું જોઈએ નહિ , પાક ફેરબદલી કરવી :જનીનિક તેમજ ભૌતિક શુદ્ધતાવાળું, સારી સ્ફુરણશકિત ધરાવતું અને શુધ્ધ અને પ્રમાણિત બિયારણ એ વધુ અને નફાકારક ઉત્પાદનની ચાવી છે. તેથી પ્રમાણિત બિયારણ જ ખરીદ કરવાનો આગ્રહ રાખવો અને આવા બિયારણો ૨-૩ વર્ષ બાદ ફેરબદલી કરી નવું બિયારણ વાપરવું. ખેડૂતોની સુધારેલા બિયારણોની માંગ પણ વધવા પામેલ છે ત્યારે, છેલ્લામાં છેલ્લી ભલામણ કરેલ જીરૂ પાકની જાતોની ખાસિયતોની જાણકારી બિયારણ પસંદગી માટે ખૂબ જ જરૂરી છે.

Share this post: