
મગફળીના બીજને પટ
પાકમાં રોગ અને જીવાતને અટકાવવા માટે અનુક્રમે ફૂગનાશક અને કીટનાશકની બીજ માવજત આપવાની ભલામણ કરવામાં આવે છે. તે ઉપરાંત કેટલીક વખત બિયારણને વાવતાં પહેલા જૈવિક ખાતર (રાઈઝોબિયમ કલ્ચર)ની માવજત આપવાનું કહેવામાં આવે છે. આમ ત્રણ જુદી-જુદી માવજત એક જ બિયારણ પર આપવની થાય ત્યારે આવા કિસ્સામાં બિયારણને સૌ પ્રથમ ફૂગનાશક અને ત્યારબાદ કીટનાશકની માવજત આપવી અને છેલ્લે રાઈઝોબિયમ કલ્ચરની માવજત (ર૪ કલાક બાદ) આપવી જોઈએ. આવા સંજોગોમાં રાઈઝોબિયમ કલ્ચરનો ડોઝ ભલામણ કરતાં બમણો રાખવો. વધુમાં ફૂગનાશક અને કીટનાશકની બીજ માવજત વાવણીના આગલા દિવસે અને જૈવિક કલ્ચરની માવજત વાવણી વખતે જ આપવી જોઈએ. જે તે પાક માટે ભલામણ કરેલ રાઈઝોબિયમ સ્ટ્રેઈન વાપરવાનો આગ્રહ રાખવો.



