પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં યાંત્રિક પાક સંરક્ષણ પદ્ધતિ

હાથ અથવા હાથથી ચાલતા ઉપકરણો દ્વારા જીવાતની વસ્તી અથવા તેનાથી થતું નુકસાન ઘટાડતી પદ્ધતિને યાંત્રિક પદ્ધતિ કહેવામાં આવે છે.
જીવાતના ઈંડાનો સમૂહ, ઈયળનો સમૂહ અને મોટી જીવાતોનો વીણીને નાશ કરવો.
નારિયેળીના થડ ઉપર ૩૦ સે.મી. પહોળા પતરાની શંકુ આકારની ઝાલર અથવા પ્લાસ્ટિકનો પટ્ટો લગાવવાથી ઉંદરનું નુકસાન અટકાવી શકાય છે.
દાડમના ફળને શરૂઆતથી કોથળી ચડાવવાથી પક્ષીઓનું તેમજ દાડમનાં પતંગિયાનું નુકસાન અટકે છે.
ખેતરને ફરતે દોઢ ફૂટ પહોળી, બે ફૂટ ઊંડી ખાઈ ખોદી તેમાં પાણી ભરવાથી કાતરા, લશ્કરી ઈયળ, તીડનાં બચ્ચાંનાં ટોળાનું નિયંત્રણ કરી શકાય છે.
નવેમ્બર-ડીસેમ્બર મહિનામાં આંબાના ઝાડના થડ ઉપર, જમીનની સપાટીથી ૩૦ સે.મી. ઉપર, ૪૦૦ ગેજ પોલીથીલીનનો, ૩૦ સે.મી. પહોળો પટ્ટો લગાડવાથી, જમીનમાં રહેલા મીલીબગના ઇંડામાંથી નીકળતા બચ્ચાંને ઝાડ ઉપર ચઢતાં અને ઉપદ્રવ કરતાં રોકી શકાય છે.

Share this post: