જમીનનો યોગ્યતમ ઉપયોગ ક્યારે કર્યો ગણાય ? કુદરતી ખેતી એટલે કે જમીન, ઊર્જા, પાણી અને હવાનો યોગ્યતમ ઉપયોગ કરવો જોઈએ, જે ખરેખર હાલમાં આપણે મહત્તમ ઉપયોગ કરીએ છીએ. દા.ત. પાકને વધુ પાણી આપવાથી વધારે ઉત્પાદન મળશે તે માન્યતા સદંતર ખોટી. છે. પરંતુ પાકને યોગ્યતમ પાણી આપવાથી વધારેમાં વધારે ઉત્પાદન મેળવી શકાય છે. એ જ રીતે જમીનનો યોગ્યતમ ઉપયોગ કરવા માટે અનાજ વર્ગ ના પાકો સાથે કઠોળ વર્ગના પાકો આંતર પાક તરીકે અથવા પાક ફેરબદલીમાં વાપરીએ તો જમીનનો યોગ્યતમ ઉપયોગ કર્યો ગણાય



