ખેતીનો વ્યવસાય જ સંપૂર્ણપણે કુદરતી પરિબળો પર આધારિત છે. ખેતીમાં વરસાદની ‘ઘટ’ તો નડે જ, પણ એની ‘વધ’ પણ નડે બોલો ! ઊભી મોલાતમાં રોગ લાગી જાય, જીવડાં કનડે, હીમ, માવઠું, કે વાવાઝોડું કે પૂર – અતિક્રમણ કોઈ પણ બાબતનું થાય એટલે છોડવા-ઝાડવાંને માઠી અસર થઈ જ સમજો ! અને પરિણામ ? સીધું જ ઉત્પાદન પર નઠારી અસર ! ખેડૂતનું ધાર્યું કંઈ થાય નહીં ! ઉત્પાદન બાબતની ધારેલી આશાઓ પર ફરી વળે પાણી ! ખેતીના ધંધા પ્રત્યે અણગમો ન થાય તો બીજું થાય શું ? પણ હવે વિજ્ઞાન ભેરે આવ્યું છે પણ તે અપનાવવા મૂડી જોઈએ !
આ વાત વાંચીને થાય છે કે ત્યારે કરશું શું ?
ખેતી નબળી થવાનું કારણ શું બઝારભાવ છે ? આવતી કાલે



