
એક ખેડૂતપુત્ર તરીકે દરેકને દીપાવલીનું પર્વ ઉમંગ ઉત્સાહ અને આનંદથી કુટુંબ સાથે ઉજવવાની હોંસ હોય તે સ્વાભાવિક છે. દિવાળી રંગે ચંગે માણવા માટે આપણે આખા વર્ષ મા લીધેલા નિર્ણય જવાબદાર હોય છે કારણ કે લીધેલા નિર્ણયોનો સરવાળો એટલે આજની પરિસ્થિતિ આપણા પોતાના વિકાસમાં એટલે કે આજે આપણે જે છીએ તે એટલે પણ આપણે વખતો વખત લીધેલા નિર્ણયોનો સરવાળો. કારતક મહિનો એટલે ખેડૂત માટે સરવાળો માંડવાનો મહિનો . જમીનની ખેડ, જમીનની કાળજી, જમીનમાં ઉમેરેલા સેન્દ્રીય તત્વો , જમીનને જીવતી રાખવામાં પ્રયત્નો , બીજની સાચી પસંદગી, સાચા સમયે વાવણી , સમયે સમયે હવામાન અનુરૂપ પાક સંરક્ષણના પગલાં અને અપનાવેલી વિવિધ ટેક્નિકના આધારે આપણા પાકમાં ઉત્પાદન આવતું હોય છે. આ આપણે લીધેલા નિર્ણયો ક્યાં ક્યાં હતા તેની નોંધ કિસાન ડાયરીમાં ટપકાવી લેજો .



