ઓર્ગનિક નહિ રેસિડયુઅલ ફ્રી શાકભાજી અને ફળોની ખેતીનો સમય છે

ખુલ્લા આંખ- કાનને દ્રષ્ટિ હોય ચકોર….તો મળતું રહે નવું નક્કોર !

ઓર્ગેનિક ફળો અને શાકભાજી બજારમાં મેળવવા મુશ્કેલ છે ? શું ઓર્ગનિક શાકભાજી ઉગાડી શકાય? તમે કહેશો કે જો જંતુનાશક દવા છાંટ્યા પછી તેના રેસિડ્યુઅલ ફળ ઉતારતી વખતે રહેતા નથી તો તે ફળો – શાકભાજી ઓર્ગેનિક કહેવાય. ઓર્ગનિક નહિ રેસિડયુઅલ ફ્રી શાકભાજી અને ફળોની ખેતીનો સમય છે . બીજું આપણે ખાતરને પણ ભૂલવાનું નથી નાઈટ્રેટની વાત કરીએ નાઈટ્રેટ એ નાઈટ્રિક એસિડનો સૉલ્ટ છે જે વાતાવરણમાં પુષ્કળ માત્રામાં છે જેમ કે પાણી ,હવામાં, જમીનમાં , મનુષ્ય ને પાણી દવારા કે ફાળો દ્વારા નાઇટ્રેટ ઇન્ટેક થાય છે તેની માત્રા 320 મિલિગ્રામ થી વધુ ન હોવી જોઈએ . આપણે પાણી મારફતે ફળો અને શાકભાજી માંથી નાઇટ્રેટ લઈએ છીએ ખેડૂતોએ નાઇટ્રોજનયુક્ત ખાતરનો વપરાશ જરૂરિયાત પૂરતો કરવો પડશે . કાચા ફળો ઉતારીને માર્કેટમાં મૂકવામાં આવે તેમાં નાઇટ્રેટ હોય છે ફળો પાકવા દેવા જોઈએ . જરૂરિયાતથી વધુ નાઇટ્રોજનનો વપરાશ ખેડૂતોએ ન કરવો જોઈએ . ઓર્ગેનિક ખેતી કરવી હશે તો યુરિયાનો વધુ વપરાશ વધુ પડતો નહીં ચાલે . ટૂંકમાં ઓછી માત્રામાં નાઇટ્રેટ વાળા ફળો અને શાકભાજી તમે રેસિડયુઅલ ફ્રી તરીકે ઉપભોક્તાને આપી શકો.