કપાસમાં મીલીબગ

કપાસના પાકમાં ગલાબી ઈયળ અને ચિકટો (મીલીબગ) બન્ને અગત્યની જીવાત ગણાય છે આ જીવાતોની વસ્તી ઓછી થાય તે માટે કેટલાક બિન-રાસાયણિક પગલાં સૂચવવામાં આવે છે દા.ત. કપાસની છેલ્લી વીણી પુરી થાય તે પછી ખેતરમાં ઘેટાં-બકરાં ચરાવવા. કપાસના પાકમાં જો ચિકટાનો ઉપદ્રવ જોવા મળ્યો હોય તો, છેલ્લી વીણી બાદ ઘેટાં-બકરાં ચરાવવા નહિ એવી સલાહ આપવામાં આવે છે કારણ કે, તેને લીધે ખેતરમાં ચિકટાનો ફેલાવો થાય છે.

Share this post: