કેળમાં આવરણ/ મલ્ચીંગની અગત્યતા

જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા માટે પરાળ, સૂકું ઘાસ , સૂકા પાંદડા, શેરડીની રાડ, ઘઉંનું ભૂસું, નાળિયેરના પાન, સેંદ્રિય ખાતર તથા ખેતીની વિવિધ આડ પેદાશો અને કાળું પ્લાસ્ટિક (૫૦ માઈક્રૉન)નો પણ આવરણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આવરણ કરવાના ફાયદાઓ

• આવરણ જમીનમાં ભેજ અને મધ્યમ તાપમાન જાળવી રાખે છે જેથી પિયતનો સમયગાળો લંબાવી શકાય છે.

• જમીનના ભૌતિક ગુણધર્મો જાળવી જમીનની ફળદ્રુપતાના સુધારા માટે.

• નિંદણને નિયંત્રિત કરે અને જમીનનું ધોવાણ થતું ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

• આવરણ પદ્ધતિથી ૪૦ ટકા જેટલી પાણીની બચત થાય છે.

• આ પદ્ધતિથી જમીનજન્ય રોગોનું પ્રમાણ પણ ઓછું થાય છે.

Tags

Share this post: