ક્યા ક્યા ફળ-શાકભાજીની સુકવણી કરી શકાય ?

ફળોને કે શાકભાજીને સીધે સીધા વેચાણમાં મૂકવા કરતા તેને મૂલ્યવર્ધિત કરીને વેચવાથી આપણને વધારે વળતર મળતું હોય છે. લગભગ બધાં જ શાક-રીંગણાં, ટમેટાં, મરચાં, વાલોળ, ગુવાર, ભીંડા, કારેલાં, તૂરિયાં અરે, બટેટાં અને શક્કરિયાં સુધ્ધાંની સુકવણી થઈ શકે છે.એમાં એવું જરૂર બને કે કોઇ ગુવાર, મરચાં, મોગરી, મેથી, પાલખ, તાંદળજો, કોથમીર, લીલું લસણ જેવાની એમ ને એમ આખેઆખા ફળ મૂળ અને પાંદની સાથે સુકવણી વધુ સારી થતી હોય છે. તો વળી કેટલાંક રીંગણાં, ટમેટાં, કારેલાં, તૂરિયાં જેવાનાં શાક બનાવવા યોગ્ય કૂણા ફળોના કટકા કરી સૂકવી દેવાતા હોય છે. ગુવાર, ચીભડાં, કાકડી, ગાજર, બટેટાં વગેરેને મીઠાના સાધારણ ખારા પાણીમાં બોળીને પછી સુકવણી કરાતી હોય છે જે કાચરી તરીકે વેચાય છે . ફળોમાં પણ રાયણ, દ્રાક્ષ, ચીકુ, કેરી, બોર, આમળાં,કેળાં, નાળિયેર, ખજૂર, અંજીર વગેરેની પણ ખૂબ જ આસાનીથી સુકવણી થઇ શકે છે અને બારે મહિના માણી શકાય છે