
હવે જો કાર્બન ટકાવવા માટેના ઉપાયોની વાત કરવામાં આવે તો જમીનને ઓછામાં ઓછી ખલેલ પહોંચાડવી જોઈએ. કારણ કે જમીનને ખેડાણ કરવામાં આવે ત્યારે જમીનને એક રીતે ખુલ્લી કરી દેવામાં આવે છે જેના લીધે જમીનની સપાટી સૂર્યપ્રકાશના વધુ સંપર્કમાં આવે છે તથા જમીનનો કાર્બન જમીનમાંથી વાતાવરણમાં આવી જાય છે અને આમ જમીનમાં કાર્બનનું પ્રમાણ ઘટવા લાગે છે; તથા વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ વધવા લાગે છે. માટે જમીનને નહિવત ખેડાણ કરવી એ એક કાર્બનને જમીનમાં ટકાવી રાખવા માટેનો ઉત્તમ ઉપાય છે.



