
કૃષ્ણપુરના મોહન નામના ખેડૂતનો એક કેસ સ્ટડી પ્રસિદ્ધ થયો છે. ટકાઉ ખેતીનો જેમાં વાસ્તવિક રીતે કરેલ ખર્ચ સામે વળતર શુ મળે છે? તે આંખ ઉઘાડનારો છે. આપણે દશકોથી, ભારતીય ખેડૂત આધુનિક કૃષિના ઊંચા ખર્ચવાળી દોડમાં ફસાયેલા છીએ,આપણે વધુ ઉપજ મેળવવા માટે મોંઘા રસાયણોનો ઉપયોગ કરીયે છીએ,ઉપજ વધારવા અનેક પ્રયાગો કરીયે છીએ પરંતુ પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી ફક્ત દેવું, માટીની નબળી તંદુરસ્તી અને પરિવાર માટે વધતા તબીબી બિલનો પાક લણીયે છીએ . આપણી ખેતી કાગળ પર “સફળ” લાગે છે, પરંતુ નાણાકીય અને પર્યાવરણીય રીતે તે નિષ્ફળ રહી છે તેવો આપણો સૌનો અનુભવ છે.



