
દાડમના ફળો બે કારણથી ફાટી જાય છે.
એક તો બોરોન તત્ત્વની ઉણપના કારણે તથા બીજું ભેજની અનિયમિતતાના કારણે. દાડમ ના પાકમાં પિયત નિયમિત રીતે આપવું જોઈએ. જો પિયતના માપ તથા પિયત વચ્ચેના ગાળામાં તફાવત વધારે રહે તો ફળ ફાટવાની સમસ્યા રહે છે. માટે નિયમિત સમયાંતરે પિયત આપવું જોઈએ.



