દાડમમાં ક્યાં બહારની માવજત આપવી ?

દાડમના જે ફળો ચોમાસામાં વિકસતા હોય તેમાં જીવાતો લાગવાનો ભય વધારે અને ચોમાસુ બેસતાં વિકસતા હોય એનાપર પહેલા પહેલા વરસાદના છાંટા પડવાથી એકલા ડાઘા ડાઘા દેખાય એટલે મૃગ બહાર કે આંબે બહાર ખેડૂત અને દાડમ બન્ને માટે નકામી ! બન્ને ને ફાવે તેવી બહાર હોય તો તે છે હસ્તબહાર. શિયાળાની ગુલાબી ઠંડી અને સૂકા હવામાનમાં ફળો વિકસે સારા, ન લાગે રોગ કે ન લાગે જીવાત. ગણેશ દાડમની જાત જેવાના ફળ નું કદ તો થાય નાનકૂડા નાળિયેર જેવડું ! દેખાવે ચમકીલા અને ગૂલાબી-પીળી ઝાંય વાળા-અને લાલ સીન્દુરીની તો સુંદરતા તો ગ્રાહકને પરાણે વહાલા લાગે તેવી ! બસ, લીંબુની જેમ વરસાદ બંધ થયે હજુ ફળો લટકતા હોય તો તોડી લેવા અને પાણી કરી દેવાનું બીલકૂલ બંધ. જમીન ખેડી-ગોડી, પાણીની ખેંચ પાડી, ઝાડ આરામ પર જાય એની રાહ જોવાની. સપ્ટેમ્બરમાં પાણી શરુ કરતાં દોઢ-બે મહિના પછી બહાર ખીલે [નવે-ડીસેમ્બર] જે માર્ચ,એપ્રિલ અને મેની ખરી ગરમીના દિવસોમાં ફળો પકાવે, ભાવ મળે ખૂબ સારા.જેથી ખેડૂતની મહેનત પૂરી લેખે લાગે.

Share this post: