
(1)મોલો
મોલો પીળાશ પડતા લીલા અથવા કાળા રંગની, પોચા શરીરવાળી અને લંબગોળ હોય છે. બચ્ચાં તેમજ પુખ્ત એમ બંને અવસ્થાઓ ડાળી, પાંદડા, ફૂલ તેમજ કુમળા દાણામાંથી રસ ચૂસે છે. રસ ચૂસવાને પરિણામે છોડ પીળો પડી જાય છે.
ફૂલો પર કોઈકવાર મોટી સંખ્યામાં મોલોનો ઉપદ્રવ જોવા મળે તો છોડમાં બીજ બેસતા નથી. મોલોનો ઉપદ્રવ અપરિક્વ બીજ અવસ્થાએ જોવા મળે તો બીજ કદમાં ખૂબ જ નાના અથવા હલકી ગુણવત્તાવાળા જોવા મળે છે.
વળી, આ જીવાત પાન ઉપર મધ જેવો ચીકણો પદાર્થ છોડે છે જેથી છોડ કાળા પડી જાય છે અને પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં અવરોધ પેદા કરે છે અને અંતે ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
(૨) દાણાની મીજ .
માદા મીંજ તેનું અંડનિક્ષેપક અંગ દાણામાં દાખલ કરી તેનાં ઇંડા પેરીકાર્પ અને ઓવ્યુલની વચ્ચે મૂકે છે. ઇંડાંમાંથી નીકળતી ઈયળ સૌપ્રથમ દાણાના ભ્રૂણ ભાગને ખાય છે. ત્યારબાદ દાણાને કોરી નુકસાન કરે છે.
પુખ્ત મીંજ સ્ટોર/ગોડાઉનમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર માસ દરમ્યાન દાણામાં બારીક કાણું પાડીને બહાર નિકળતી હોય છે. પરિણામે દાણા કાણાવાળા જણાય છે. દાણાની મીંજ જીવાતથી ૪૦% કરતાં વધુ નુકશાન અંદાજવામાં આવેલ છે.
નિયંત્રણ વ્યવસ્થા
થાયોમેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૦.૦૦૮૪% (૩.૩૬ ગ્રામ /૧૦ લી. પાણી) અથવા એસીટામીપ્રીડ ૨૫ એસપી ૦.૦૦૪% (ર૨ ગ્રામ /૧૦ લી.પાણી) ના બે છંટકાવ કરવા. જે પૈકી પ્રથમ છંટકાવ દાણાની મીંજનો ઉપદ્રવ શરૂ થયેથી તથા ત્યારબાદ બીજો છંટકાવ ૧૦ દિવસે કરવો.



