પશુ વીમો વિશે જણાવતા સર્વશ્રી ડૉ. નિતિન પટેલ ડૉ. એસ. એ. પટેલ ટે ડૉ. આઈ. બી. ભાભોર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, અરણેજ – ૩૬૩૫૨૦

પશુ વીમાના ફાયદાઓ
પશુને આંશિક કે કાયમી ખોડખાપણ વાળા કિસ્સામાં આર્થિક ફાયદો થાય છે પશુ વીમામાં દર્શાવવામાં આવેલ કારણો મુજબના કારણથી પશુનું મૃત્યુ થાય તો તે કિસ્સામાં આર્થિક મદદ મળે છે. પશુનું વાઢકાપ (સર્જરી) દરમિયાન કે ત્યાર પછી મૃત્યુ થાય તે કિસ્સામાં પશુપાલકને આર્થિક રીતે ફાયદો થાય છે
પશુ વીમો કેવા પ્રકારના પશુ માટે લઈ શકાય ?
દરેક પશુપાલક પોતાના પશુ માટે વીમા લઈ શકે છે (અમુક ઉંમર સુધી જ પશુ વીમો લઇ શકાય છે)
દરેક પશુ માટે અલગ-અલગ વર્ગ-શ્રેણી બનાવવામાં આવેલ હોય છે. જેમાં પશુની ઉંમરને ધ્યાને લઈને પશુ વીમો લઇ શકે છે. દા.ત. વાછરડી/પાડી કે જેમની ઉંમર ૯૦ દિવસથી વધુ હોય. વોડકીઓ, દૂધાળ ગાય અને ભેંસ આખલા અને પાડા વગેરે માટે તેમની ઉંમરને આધારભૂત ગણી તે પશુને જે તે શ્રેણીમાં રાખી વીમો લઈ શકાય છે.



