
બોલકી ધરતી પોકારી પકારીને કહે છે કે મને તમે ઓછામાં ઓછી ખલેલ પહોંચાડો તો મને બહુ ગમે એટલે જ આખી દુનિયામાં હવે ખેડાણ નહીં એટલે કે નો-ટીલેજ કોન્સેપટ દવારા જમીનમાં ઓછામાં ઓછી ખલેલ પહોંચાડે છે. ઓછામાં ઓછી ખલેલ પહોંચાડવા રિઝબેડ એટલેકે પાળા ઉપર ખેતી કરવામાં આવે છે.. પાળા ઉપર મ્લચીંગ અને ડ્રિપ પણ અપનાવે છે તે મારા માટે સારું છે .અને હા , આ પાળા વર્ષો સુધી રહે છે એટલે ફક્ત પાળા પૂરતી જ જમીનને ખલેલ પહોંચે છે. શક્ય હોય તો પાક ફેરબદલી કરો જેથી જંતુઓ, રોગો અને નેમાટોડ્સ સમસ્યા બનવાની શક્યતા ઓછી થાય.બોલકી ધરતી આપણને વધુ શું કહે છે તે આવતા વખતે



