
મરચીની ખેતીમાં આબોહવા વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર.આર. આચાર્ય ડૉ. એન. એ. પટેલ મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ મરચાંને સમઘાત આબોહવા માફક આવે છે. સામાન્ય રીતે ૨૧° થી ૨૫° સે. ઉષ્ણતામાન આદર્શ ગણાય છે. આ પાકના વૃદ્ધિકાળ દરમિયાન ગરમ અને સૂકું, જયારે ફૂલ-ફળ આવવાના સયમે ઠંડુ અને સૂકું હવામાન માફક આવે છે. વધુ ગરમી અને ઊંચા ઉષ્ણતામાનને કારણે ફૂલ અને ડાળીઓ ચિમળાઈ જાય છે, તેમજ પરાગરજ સૂકાઈ જવાના કારણે છોડ ઉપર ફળ ખૂબ ઓછા વિકાસ પામતા હોય છે. ૩૫૦ સે. કરતાં વધારે તાપમાનના કારણે મરચાં ઉપર ડાઘ પડતા હોય છે. રાતના વધુ પડતા નીચા ઉષ્ણતામાનને કારણે ફલિનિકરણના અભાવે ફળ બેસતા નથી અથવા તો બી વગરના અથવા ઓછા બી વાળા નાના ફળ રહેતા હોય છે. ખૂબ જ નીચા તાપમાનને કારણે આ પાકને હિમ લાગતુ હોય છે. વધુ પડતા અને સતત વરસાદ ફૂલ અને ફળ બેસવાને અસર કરે છે, ફળ-ફૂલ ખરી પડતા હોય છે. તેમજ મોટા લીલા ફળ કોહવાઈ જતા હોય છે. ફળ, ફૂલ આવાના સમયે ભેજની ખેંચના કારણે પણ ફળ-ફૂલ ખરી પડતા હોય છે.



