રોપ કરવાની જગ્યાનું નિરજીવીકરણ માટેની સોલારાઇઝેશનની પદ્ધતિ

નર્સરીની જમીનને સારી રીતે ભીની કર્યા પછી, ઉનાળા દરમિયાન ૫-૬ અઠવાડિયા માટે તૈયાર કરેલ કયારાને પારદર્શક પોલિથીન શીટ (૨૦૦ ગેજ)થી ઢાંકવામાં આવે છે કારણ કે ભીની માટી સૂકી માટી કરતાં વધુ સારી રીતે ગરમીનું સંચાલન કરે છે અને માટીમાં રહેલા સૂક્ષ્મ જીવોને ગરમીના ઉત્પાદન દ્વારા મારવા માટે સંવેદનશીલ બનાવે છે. ભેજનું નુકસાન ચકાસવા અને પોલીથીન શીટની નીચેથી હવાના પ્રવેશને રોકવા માટે ભીના કાદવથી પોલીથીન શીટની કિનારીને ઢાંકીને હવાચુસ્ત બનાવાવુ. ૫-૬ અઠવાડિયા પછી, પોલીથીન શીટ દૂર કરવી જોઈએ અને બીજ વાવવા માટે ઉપયોગ કરવો જોઈએ. આ રીતે ઉપરની ૫-૬ ઈંચ જમીનમાં રહેલા તમામ નીંદણના બીજ, જીવાતો, ઈંડા, ઇયળ અને કોશેટા અને ધરુમૃત્યુ માટે જવાબદાર રોગાણુઓ નિયંત્રિત થાય છે.

Share this post: