લસણમાં ખાતર

લસણના પાકમાં જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૧૨ થી ૧૫ ટન છાણિયું ખાતર જમીનમાં સારી રીતે ભેળવી દેવું. વાવણી વખતે હેકટરે ૨૫ કિલો નાઈટ્રોજન, ૫૦ કિલો ફોસ્ફરસ અને ૫૦ કિલો પોટાશ પાયાના ખાતર તરીકે આપવું, ફોસ્ફરસ ડી. એ. પી. કે એન. પી. કે ને બદલે સિંગલ સુપર ફોસ્ફેટના રૂપમાં તેમજ પોટાશ તત્ત્વ સલ્ફેટ ઓફ પોટાશના રૂપમાં આપવાથી લસણના પાકની ગુણવતા અને સંગ્રહશક્તિ વધતી હોવાનું સંશોધનના તારણોથી માલુમ પડેલ છે. બાકી રહેતો નાઈટ્રોજનનો અડધો જથ્થો એટલે કે હેકટરે ૨૫ કિલો પૂર્તિ ખાતર તરીકે વાવણી બાદ 30 દિવસે આપવો જોઈએ.
લસણનું વાવેતર કરતી વખતે જમીનમાં ભલામણ કરેલ ખાતરના ૭૫ ટકા જથ્થા સાથે ૨.૫ ટન છાણિયું ખાતર અથવા એરંડીનો ખોળ ૩૦૦ કિલો પ્રતિ હેકટરે આપવાથી વધુ ઉત્પાદનઅને મહત્તમ ફાયદો થાય છે. મધ્યમ કાળી ચૂનાવાળી જમીનમાં લસણનું વાવેતર કરતી વખતે જમીનમાં ભલામણ કરેલ ખાતરની સાથે મલ્ટિ-માઇક્રોન્યુટ્રિઅન્ટ ગ્રેડ-૫ ૪૦ કિલો પ્રતિ હેક્ટરે આપવું અથવા મલ્ટિ માઇક્રોન્યુટ્રિઅન્ટ ગ્રેડ-૪નો ૧ ટકા મુજબ ૬૦, ૭૫ અને ૯૦ દિવસે છંટકાવ કરવાથી વધુ ઉત્પાદન અને મહત્તમ ફાયદો થાય છે.

Tags

Share this post: