
વૈજ્ઞાનિકો કહે છે કે પાકને અસાધારણ તાપમાનના બદલાવને લીધે પાક ઉત્પાદન ઘટે છે અને ઉભા પાકને ઘણું નુકશાન થાય છે. જો વિપરીત હવામાન, તાપમાન હોય તો ઘઉંનું ઉત્પાદન ૬ ટકા જેટલું ઘટી શકે છે. કારણ કે ઘઉંમાં ફૂટ પાડવા વખતે જે નીચું તાપમાન જોઈએ તેને બદલે વધુ હોય તો ઘઉંની ફૂટ ઓછી થાય છે. આજ રીતે શાકભાજી પાકો, પાંદડાવાળા શાકભાજી વગેરેમાં ફલીનીકરણ અટકે છે અને વહેલી પરિપક્વતા આવે છે. ઉભા પાકમાં આવા વિપરીત પરિણામો જોવા મળી રહ્યા છે. નવી વાવણી પણ તાપમાન જોઇને કરવા સલાહ છે.



