
બરુ નીંદણનું નિયંત્રણ
વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ ફોન ઃ (મો.) ૭૬૦૦૪૫૫૪૫૯ બરૂં ૨ મીટર ઊંચાઈ ધરાવતું બહુવર્ષાયુ ઘાસ છે. તેનું પ્રસર્જન વાનસ્પતિક જડીયાંથી તેમજ બીજથી થાય છે. નિયંત્રણ ઃ ઉનાળામાં ખેડ કરવી. નવી ફુટ પર ડાલાપોન ૫-૭ કિ.ગ્રા. પ્રતિ હેકટર પ્રમાણે ૭-૧૦ દિવસના અંતરે બે છંટકાવ કરવા. ડિસ્ક પ્લાઉથી ખેડ કર્યા બાદ કપાસ, મકાઈ, સોયાબીનનું વાવેતર કરવું.ટીસીએ ૩૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર છાંટવાથી ૯૯% નિયંત્રણ થાય છે. શેઢા-પાળા, પડતર વિસ્તારમાં ફૂલ આવે તે પહેલાં ડાલાપોન, ડાયુરોન, બ્રોમાસીલ કે સોડિયમ કલોરેટ, ગ્લાયફોસેટ, પેરાક્વોટ પૈકી ગમે તે એક દવાનો છંટકાવ કરવો.



