સોયાબીનમાં યલો મોઝેક વાયરસ

આપણે જાણીયે છીએ કે ભીંડાના પાકમાં પીળીયો એટલેકે યલો મોઝેક વાયરસ (YMV) આવે તો પાકમાં બહુ નુકશાન થાય છે આ એક વાઇરસને લીધે થાય છે . મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં વાતાવરણના ફેરફાર અને આ વાઇરસ આ વર્ષે સોયાબીનના પાકમાં યલો મોઝેક વાયરસ (YMV)નો ગંભીર પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ઉપજના નુકસાન અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે. આ વાયરલ ચેપથી અનેક ગામોમાં સોયાબીનના પાકના સ્વાસ્થ્ય અને ઉત્પાદકતા પર સ્પષ્ટ અસર પડી શકે છે.
પરિસ્થિતિની નોંધ લેતા જિલ્લાના કૃષિ અધિકારીઓ તાત્કાલિક પાક નુકસાન સર્વે કરી રહ્યા છે. વિપરીત હવામાન અને આપણી ખેતી પદ્ધતિમાં બદલાવને લીધે આ વાઇરસ બીજા નવીન પાકોને હોસ્ટ બનાવી રહ્યા છે. કૃષિ વૈજ્ઞાનિકો માટે આ ચેલેન્જ છે કે નવી પ્રતિરોધક જાતો વિકસાવવી પડશે.

Share this post: