July 30, 2025

આંબામાં કલ્ટાર આપવું હોય તો કયારે, કેટલું અને કઈ રીતે આપવું ?

અનિયમિત ફળતી આંબાની જાતોને નિયમિત ફૂલ લાવવા માટે જુલાઈના છેલ્લા અઠવાડિયા અથવા ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં પેકલાબ્યુટ્રાઝોલ ર૫ એસ.સી. (ર૦ મિ.લી. / ૧૦ થી ૧૫ લી. પાણીમાં) ઝાડની ફરતે રીંગ અથવા ર૦ થી ર૫ નાના ખાડા કરી એ ખાડામાં ડ્રેન્ચીંગથી આપી શકાય.

આંબામાં કલ્ટાર આપવું હોય તો કયારે, કેટલું અને કઈ રીતે આપવું ? Read More »

આંબામાં ખાતર કઈ રીતે આપવું ?

ઝાડના ઘેરાવા નીચે ૩૦ થી ૩૫ સે.મી. પહોળી અને ર૦ થી ૩૦ સે.મી. ઊંડી ગોળ ચર બનાવીને તેમાં ખાતર આપી ચરને માટીથી પૂરી દેવી અથવા ઝાડના ઘેરાવા નીચે ફરતે ર૦ થી ૩૦ સે.મી. ઊંડા ર૦-રપ ખાડા બનાવી તેમાં પણ ખાતર આપી શકાય છે. ૧૦ વર્ષથી વધુ ઉંમરના ઝાડમાં થડથી આશરે ૧.૫ મી. દૂર રીંગ બનાવવી.

આંબામાં ખાતર કઈ રીતે આપવું ? Read More »

બોલકી ધરતી : જો ધ્યાન ન રાખો તો તમારી વાડીમાં બુટ ચંપલ સાથે નિંદામણોના બીજ આવી જતા હોય છે.

બોલકી ધરતી એમ પણ કહે છે કે તમે જો ધ્યાન ન રાખો તો તમારી વાડીમાં બુટ ચંપલ સાથે આવતા નિંદામણો, ઓજારો , ટ્રેક્ટર , બળદ ગાડા સાથે ચોંટીને આવતા નિંદામણોના બીજ આવી જતા હોય છે તેનું ધ્યાન રાખવું .બીજાના ખેતરમાંથી અથવા રોપા દ્વારા માટી સાથે આવતા નિમેટોડ, બાજુના ખેતરમાંથી વાડ કે શેઢા પરથી ચાલીને આવતા

બોલકી ધરતી : જો ધ્યાન ન રાખો તો તમારી વાડીમાં બુટ ચંપલ સાથે નિંદામણોના બીજ આવી જતા હોય છે. Read More »

આંબાની કલમોની ખરીદી કયાંથી કરવી.

નવી આંબા કલમનું રોપાણ કરવું હોય તો સરકારશ્રી દ્રારા પ્રમાણિત થયેલ નર્સરીમાંથી કલમ લેવાનો આગ્રહ રાખવો. અથવા પ્રખ્યાત નર્સરીનો સંપર્ક કરવો .

આંબાની કલમોની ખરીદી કયાંથી કરવી. Read More »

આંબામાં નવીનીકરણ (રીઝુવીનેશન) કયારે કરી શકાય ?

આંબામાં નવીનીકરણ ખાસ કરીને જુના, ઓછા ઉત્પાદન આપતા બગીચા અથવા દેશી જાતોમાં નવીનીકરણ કરી શકાય. આંબામાં નવીનીકરણ કરવા માટેનો યોગ્ય સમય ચોમાસું પુરું થયા બાદ ઓકટોબર- નવેમ્બર મહિનાનો સમય યોગ્ય ગણવો. જો ચોમાસા પહેલાં નવીનીકરણ કરવામાં આવશે તો આંબાના મેઢના કારણે ઝાડ સુકાઈ જવાના પ્રશ્નો વધુ આવશે. જેથી યોગ્ય સમયે નવીનીકરણ કરવુ હિતાવહ છે.

આંબામાં નવીનીકરણ (રીઝુવીનેશન) કયારે કરી શકાય ? Read More »

આંબામાં વાનસ્પતિક વિકૃતિ

પુષ્પવિન્યાસની વિકૃતિ :આ વિકૃતિમાં ફૂલો જાડા, ફૂલેલા અને વધારે પ્રમાણમાં ડાળીવાળા પૂષ્પ વિન્યાસ નીકળે છે પરાગરજનું પ્રમાણ ઘણું ઓછુ હોય છે, કેરી વટાણાનાં દાણા કરતાં મોટા થતા નથી, દુરથી જોતાં ફ્લાવરનાં દડા જેવા ગુચ્છા જોવા મળે છે. ૧. આ રોગનો ફેલાવો પાનકથીરી દ્વારા થાય છે. ર. રોગીષ્ટ આંબાની ડાળીઓનો કલમો બાંધવામાં ઉપયોગ કરવાથી વધે છે.

આંબામાં વાનસ્પતિક વિકૃતિ Read More »