Author name: sujay

શાકભાજીમાં અવશેષોની માત્ર ચિંતાનો વિષય છે .

ભારત દેશમાંથી કુલ ૨૩,૬૬૦ નમૂનાઓ એકત્રીત કરવામાં આવેલ હતા તેમાંથી ૪૫૧૦ (૧૯.૧%) નમૂનાઓમાં જંતુનાશકના અવશેષો માલુમ પડેલ હતા જેમાંથી ૫૨૩ (૨.૨%) નમૂનાઓમાં અવશેષનું પ્રમાણ મહત્તમ અવશેષ મર્યાદા કરતાં વધુ જોવા મળેલ હતું. આ પરિણામ પરથી એક નિષ્કર્ષ એ કાઢી શકાય કે, જે તે પાક ઉપર રજીસ્ટર્ડ ન થયેલ હોય તેવા જંતુનાશકોનો છંટકાવ પણ કરવામાં આવે […]

શાકભાજીમાં અવશેષોની માત્ર ચિંતાનો વિષય છે . Read More »

ફળમાખી ઠંડી સિવાય આખું વર્ષ ઉપદ્રવ કરે છે

કેટલાક વેલાવાળા શાકભાજી અને ફળ પાકોમાં ફળમાખીનો ઉપદ્રવ જોવા મળે છે. સામાન્ય રીતે આ જીવાત ગરમ વાતાવરણમાં વધુ સક્રિય હોય છે અને શિયાળાની ઋતુમાં નિષ્ક્રીય થઈ જાય છે.બેકટ્રોસેરા ઝેનાટા જાતિની ફળમાખીનો ઉપદ્રવ તીવ્ર ઠંડી સિવાય (જાન્યુઆરી-ફેબ્રુઆરી) સમગ્ર વર્ષ દરમ્યાન જોવા મળે છે. આંબા અને જામફળના પાકમાં નુકસાન કરતી બેક્ટ્રોસેરા ડોર્સાલીસ જાતિની ફળમાખી મે માસમાં વધુ

ફળમાખી ઠંડી સિવાય આખું વર્ષ ઉપદ્રવ કરે છે Read More »

મોલો જીવાંત કયારે આવે ?

વિવિધ ખેતી પાકોમાં નુકસાન કરતી મોલો તેની જાતિ મુજબ જુદા જુદા રંગ (પીળી, કાળી, ઘાટા લીલાશ પડતી કાળી)ની હોય છે, જે યજમાન વનસ્પતિના કુમળા ભાગોમાંથી રસ ચૂસી નુકસાન કરે છે. ચોમાસાની ઋતુમાં ખાસ કરીને જુલાઈ-ઓગસ્ટ માસમાં જ્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળે ત્યારે મગફળીની કાળી મોલોનો ઉપદ્રવ વધતો જોવા મળે છે. વાદળછાયા વાતાવરણના દિવસોમાં હવામાં ભેજનું

મોલો જીવાંત કયારે આવે ? Read More »

બટાટા માટે અનુકૂળ જમીન અને જમીનની તૈયારી

રેતાળ, ગોરાડુ અને મધ્યમ કાળી સારી નીતાર શક્તિ ધરાવતી જમીનમાં બટાટાનો પાક લઈ શકાય છે. ભારે કાળી અને ચીકણી જમીનમાં તથા પાણી આપ્યા પછી બંધાઈ જતી જમીનમાં બટાટાનો પાક અનુકૂળ આવતો નથી.રાત્રિનું તાપમાન ૧૮ થી રર° સે.ની વચ્ચે થાય એટલે કે ૧૫ થી ૩૦ નવેમ્બરની આજુબાજુ વાવણી કરવી હિતાવહ છે.બટાટાના વાવેતરનું અંતર :એક હારના પાળા

બટાટા માટે અનુકૂળ જમીન અને જમીનની તૈયારી Read More »

ટામેટામાં કૃમિ

ગુજરાતમાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોને ગંઠવા કૃમિના અસરકારક વ્યવસ્થાપન માટે ફલુઓપાયરમ ૩૪.૪૮% એસ.સી. ૫૦૦ ગ્રામ સક્રિય તત્વ પ્રતિ હેકટર પ્રમાણે ફેરરોપણીના બીજા દિવસે આપવાની ભલામણ કરવામાં આવે છે. આ માટે ૧૦ લિટર પાણીમાં ૨.૦૮ મિ.લી. ફલુઓપાયરમ ૩૪.૪૮% એસ.સી. મિશ્ર કરી દ્રાવણ બનાવવું અને છોડ દીઠ ૨૦૦ મિ.લી. દ્રાવણ મૂળની આજુબાજુ જમીનમાં આપવાની ભલામણ કરવામાં આવે

ટામેટામાં કૃમિ Read More »

ખેતરમાં કૃમિ નિયંત્રણ

* ઉનાળામાં બે થી ત્રણ વખત ખેતરમાં ઊંડી ખેડ કરવી અને જમીનને ઉનાળામાં સૂર્યના તાપમાં તપાવવી * ગંઠવા કૃમિ લાગેલ છોડ/ગૂંટી કે કંદનો ઉપયોગ કરવો નહિ. * ખેતરમાં ગંઠવા કૃમિની હાજરી જણાય તો આવા ખેતરમાં દાડમ, જામફળ, લીંબુનું વાવેતર ન કરવું. • ટામેટીના પાકમાં ગંઠવાકૃમિના નિયંત્રણ માટે ધરૂની ફેરરોપણી નવેમ્બર માસના પહેલા અઠવાડીયામાં કરવી જોઈએ.

ખેતરમાં કૃમિ નિયંત્રણ Read More »

ઘરૂવાડીયામાં કૃમિ નિયંત્રણ

કોઇપણ પાકનું ધરૂવાડિયું તૈયાર કરતાં પહેલાં જે જગ્યાએ ધરૂવાડિયું તૈયાર કરવાનું હોય ત્યાં કૃમિની હાજરીની ચકાસણી કરાવવી. ઉનાળામાં એપ્રિલ-મે માસ દરમ્યાન ધરૂવાડીયાની જમીનમાં પાણી આપી વરાપે ખેડી ૧૦૦ ગેજનું (૨૫ માઇક્રોન) એલ.એલ.ડી.પી.ઇ. પારદર્શક પ્લાસ્ટિક ૧૫ દિવસ સુધી હવાચૂસ્ત રીતે ઢાંકી રાખવાથી (સોઇલ સોલરાઇઝેશન) જમીનમાં કૃમિની સાથે સાથે રોગ-જીવાતનું નિયંત્રણ પણ કરી શકાય. ટામેટીના ધરૂવાડીયામાં ચોમાસામાં

ઘરૂવાડીયામાં કૃમિ નિયંત્રણ Read More »

વિવિધ ખેતી પાકોમાં નુકસાન કરતા કૃમિઓ ના પ્રકાર

ગુજરાતમાં મુખ્યત્વે નીચે મુજબના કૃમિઓ ખેતી પાકોમાં નુકસાન કરતા જોવા મળે છે. (૧) ગંઠવા કૃમિ : કૃમિ લાગેલ છોડને મૂળ સાથે જમીનમાંથી ઉપાડી મૂળ જોતાં તેના પર નાની-મોટી અસંખ્ય ગાંઠો જોવા મળે છે. (૨) કિડની આકારના કૃમિ : આ કૃમિના ઉપદ્રવથી છોડ ઠીંગણા તથા પાન પીળા રહે, આવા છોડ ઉપાડી કાળજીપૂર્વક મૂળ ધોયા પછી પણ

વિવિધ ખેતી પાકોમાં નુકસાન કરતા કૃમિઓ ના પ્રકાર Read More »

કૃમિનું પ્રમાણ વધવાના કારણો ક્યાં છે ?

તાજેતરના વરસોમાં વરસાદની અનિયમિતતા અને વાતાવરણમાં અકલ્પનીય ફેરફારને કારણે પૃથ્વી પર જીવતા જીવોમાં બદલાવ આવી રહ્યો છે તે પૈકી એક કૃમિ પણ છે. પિયતની આધુનિક પદ્ધતિઓ જેવી કે, ફુવારા, ટપક, આચ્છાદન અપનાવવાને કારણે જમીનમાં સતત પુરતો ભેજ જળવાઈ રહે છે તે પણ કૃમિની વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જ માફક આવે છે. પિયતની સુવિધાઓ તેમજ

કૃમિનું પ્રમાણ વધવાના કારણો ક્યાં છે ? Read More »

કૃમિ દ્વારા થતું નુકસાન કેવું દેખાય ?

કૃમિગ્રસ્ત છોડ દેખાવમાં ઠીંગણા રહે, પાન પીળા પડી અમુક કિસ્સામાં જાડા થતા છોડની વૃદ્ધિ અટકે છે. દૂરથી છોડને પોષક તત્વોની ઊણપ હોય તેવું લાગે છે. ગરમીના સમયે બપોરે આવા કૃમિગ્રસ્ત છોડ જમીનમાં પુરતો ભેજ હોવા છતાં ચીમળાઈ ગયેલા દેખાય છે. જો શરૂઆતથી જ કૃમિનો ઉપદ્રવ વધારે હોય તો છોડ સૂકાઇ જાય છે. કૃમિગ્રસ્ત છોડને ખાતર-પાણી

કૃમિ દ્વારા થતું નુકસાન કેવું દેખાય ? Read More »