Author name: sujay

આપણા રાજ્યમાં આપણે સાચા ટેક્નિકલ જંતુનાશક વાપરીએ છીએ ?

FSSAI (ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) દ્વારા ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ દ્વારા પ્રસિદ્ધ થયેલ અહેવાલના આધારે પ્રવર્તમાન સમયમાં ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ જંતુનાશક રસાયણોના અવશેષ અંગે મોનિટરીંગ ઓફ પેસ્ટિસાઇડ રેસીડ્યુ એટ નેશનલ લેવલ (MPRNL) નું એક ડિવિઝન ભારત દેશની ૨૭ જેટલી લેબોરેટરીમાં કાર્યરત છે. આ યોજના અંતર્ગત બજારમાંથી […]

આપણા રાજ્યમાં આપણે સાચા ટેક્નિકલ જંતુનાશક વાપરીએ છીએ ? Read More »

ડુંગળીના સંગ્રહ માટે નિકાસકાર દ્વારા કેમિકલનો ઉપયોગ થી નિકાશ રોક

ભારત દેશ ચાઇના પછી ડુંગળીના ઉત્પાદનમાં બીજા નંબરે આવે છે. પરંતુ વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન ઇથિલિન ઓક્સાઇડને લીધે યુરોપીયન યુનિયન દ્વારા નિકાસ પર પ્રતિબંધ મૂકેલ હતો. આ ઇથિલિન ઓક્સાઇડનો ઇકોલાઇ (એચેરીચિયા કોલી) અને સાલ્મોનેલ્લા જેવા બેક્ટેરીયાને નિયંત્રણ કરવા માટે નિકાસકારો દ્વારા ઉપયોગ કરવામાં આવેલ . જેથી કરીને ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળતાં ખૂબજ મોટું નુકસાન વેઠવું

ડુંગળીના સંગ્રહ માટે નિકાસકાર દ્વારા કેમિકલનો ઉપયોગ થી નિકાશ રોક Read More »

લસણનો ભૂકી છારો

લસણના પાનની નીચેની સપાટી પર ફૂગની સફેદ છારીના ધાબા પડે છે. જે આખા પાન પર છવાઈ જાય અને રોગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો પાન પીળા પડી સૂકાઈ જાય છે. આ રોગ દેખાય કે તરત જ દ્રાવ્ય ગંધક ૮૦ ટકા ૩૦ ગ્રામ અથવા ડીનોકેપ ૪૮ ઈસી ૫ મિ.લિ. અથવા હેકઝાકોનાઝોલ ૫ ઈસી ૧૦ મિ.લિ. અથવા

લસણનો ભૂકી છારો Read More »

ખેતરમાં હવામાનની સચોટ જાણકારી દ્વારા સફળ ખેતી થશે

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા, લાંબા આયુષ્યની વાત પછી, પહેલા નવી આવેલી એઆઈ ટેક્નોલોજીનો, ખેતીના લાભની વાત કરીયે. એ આઈ આવશે એટલે, આપણા ખેતરમાં ફાર્મ મેનેજમેન્ટ કરવામાં, આપણને ઘણી સરળતા મળશે , કારણ કે આને લગતા મોબાઇલ એપ્પ આવશે. એમાં આપણે બધા ડેટા, – માહિતી, જેવીકે આપણા ખેતરની ચતુર્દિશા, આપણું ખેતર, જીપીએસ સાથે જોડાશે,

ખેતરમાં હવામાનની સચોટ જાણકારી દ્વારા સફળ ખેતી થશે Read More »

કપાસના વાવેતર અને નક્ષત્રનો સંબંધ: વૈજ્ઞાનિક અને પ્રાચીન જ્ઞાનનો સમન્વય

કપાસ પાક એ ગુજરાત સહિત અનેક રાજ્યના ખેડૂતો માટે મુખ્ય આવકનો સ્ત્રોત છે. આજકાલ કૃષિ ખર્ચ વધતા, ખેડૂતો માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવી એક કળા બની ગઈ છે. પણ આપણી પરંપરાગત જ્ઞાનમાં તેની ચાવી પહેલેથી જ રહેલી છે – એ છે નક્ષત્ર આધારિત વાવેતર. આજની કૃષિ વિજ્ઞાનમય તો છે, પણ સાથે સાથે કુદરત સાથે

કપાસના વાવેતર અને નક્ષત્રનો સંબંધ: વૈજ્ઞાનિક અને પ્રાચીન જ્ઞાનનો સમન્વય Read More »

મગફળીમાં આંતર પાકો

મગફ્ળી એ સૂકી ખેતી અને અનિયમિત વરસાદવાળા વાતાવરણમાં વવાતો પાક છે તેથી એકલો પાક લેવાથી મોટુ નુકસાન થવા સંભવ રહે છે. એટલે મગફ્ળી સાથે કપાસ, એરંડા, તુવેર, તલ, સૂર્યમુખી જેવા પાકો આંતરપાક તરીકે લેવાથી ઉત્પાદન જોખમ ઘટાડી શકાય છે અને સરવાળે બે પાકમાંથી ખેડૂતને વધુ આવક મળી શકે છે. એટલે આંતર કે રીલે પાક પદ્ધતિ

મગફળીમાં આંતર પાકો Read More »

ખેડૂત છે ત્યાં વેપાર છે તે બધાને ખબર છે

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે નવી ટેક્નોલોજીની વાતો સાથે મનુષ્યની ખાસિયત અને ગ્રાહકના ઉદેશોની વાત કરતા હતા , ઉદાહરણ તરીકે, કોઈ કંપની નક્કી કરે કે તેને દુનિયાનું શ્રેષ્ઠ ટ્રેક્ટર , બિયારણ , વાવણીયો કે મોટર કાર બનાવવી છે અને બનાવે અને એ માટે ઉત્તમ એન્જિનિયરો, બ્રીડર, સંશોધન વૈજ્ઞાનિક , ડિઝાઇનરોની એક ટીમ તૈયાર કરીને બજારમાં એ ટ્રેક્ટર કે બિયારણ કે વાવણીયો વેચવા માટે મૂકે અને કોઈ ખરીદે જ નહીં તો? કંપની એમ ન કહી શકે કે “ખેડૂતોને સારી ચીજ શું છે એની સમજ નથી.” પણ, એનાથી ઉલટું જે સાધન ખેડૂત વધુ ખરીદે એ જ શ્રેષ્ઠ કહેવાય , કેમ કે ગ્રાહકોની શ્રેષ્ઠતાની સમજ એમની પોતાની હોય છે . પણ તમે વિચાર કરજો યુગ ટેકનોલોજી નો છે છતાં આપણને જુના કાળમાં હતું તે આજે પણ પકડી રાખ્યું છે , હજુ છોડ્યું નથી , હજુ પણ બજારમાં નથી મળતું તે સારું તે જૂની આપણી કલ્પનાને લીધે અમુક કંપનીઓ અછત ઉભી કરીને માર્કેટિંગ કરવાનો આઈડિયા અપનાવે છે , બોલો આપણને ખેડૂત તરીકે ઈશ્વરની આ ભેટ મળી છે કે બુદ્ધિપૂર્વક ખરીદવા માટે વિવેક વાપરવો તે વાત યાદ રાખવી જોઈએ કે નહિ ….

ખેડૂત છે ત્યાં વેપાર છે તે બધાને ખબર છે Read More »

ખેતીમાં કઈ નવી ટેકનોલોજી આવશે ?

વિચાર કરવાની શક્તિ આપણને ભગવાને આપી છે. માણસને કઈ પણ કરતા પહેલા, વિચાર આવે છે કે, આ કરું કે તે કરું?, મગફળી કરું? કે કપાસ? અને સાથે સમજણ પણ આપી છે…

ખેતીમાં કઈ નવી ટેકનોલોજી આવશે ? Read More »

શું છે ખેતીના એ આઈ રોબોટ ?

કીડીઓ અને મધમાખીઓ નો સામજિક ઢાંચો જડ છે. જ્યારે માણસોએ પોતાની બુદ્ધિ , વિચાર અને સમજણ થી અનેક વખત પોતાના સમાજજીવનને ધરમૂળથી બદલી નાખ્યાના દાખલા છે. પરંપરાગત જીવનસાથીની પસંદગી થી માંડીને સોશિયલ મીડિયા દ્વારા લગ્ન કરીને સાથે જીવતા અનેક યુગલો આપણા સમાજમાં છે અને આપણે તેમને સ્વીકાર્યા છે. અરે! સમાજ જીવનમાં જે એક સમયે પાપ ગણાતા એવા સમલૈંગિક સંબંધો ને કાયદાકીય મૂંજૂરી મળી છે એ પણ માણસના પરિવર્તનશીલ સમાજજીવનનું જ ઉદાહરણ છે! એટલે મનુષ્યમાં પરિવર્તન એ વિકાસનો રસ્તો છે .આપણે પણ ખેતીના નવા આયામ તરફ લઇ જવી પડશે. ભગવાને મનુષ્યમાં ઈચ્છા મુજબ કરવાની છૂટ આપી છે જે પશુને નથી આપી, સાથે આપણને વિવેક પણ આપ્યો છે . મનુષ્ય પાસે વિવેક છે અને કરેલા ઉપકારને યાદ રાખવાની કૃતજ્ઞતા છે તે વિશેષતા ને લીધે આજે મનુષ્ય બીજા પ્રાણીઓ કરતા જુદો પડે છે . કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણને મનુષ્ય એ ખેતીના કામ માટે હવે ખેતીના રોબોટ બનાવ્યા છે તેની વાતો જાણવા મળશે ….

શું છે ખેતીના એ આઈ રોબોટ ? Read More »

પ્રયોગ : રીંગણામાં કોકડવા નિયંત્રણ કેમ કરવું?

રીંગણામાં કોકડવાનો ઉપદ્રવ મોટી સમસ્યા છે. ખાસ કરીને ભેજવાળું કે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે ચૂસિયા જીવાતના ઉપદ્રવ પછી કોકડવાની શરૂઆત થઈ જાય છે, જેમાં પાન
કોકડાઈ જાય છ.નવા ફુટ અન ફૂલ આવવાનાં બંધ થઈ જાયછે. પાક લગભગ નિષ્ફળ જાય છે. આવી સમસ્યા ઉદભવે ત્યારે સિદ્ધપૂર તાલુકાના બીલિયા ગામના મૂકેશભાઈ રબારી કરેણ, આંકડો, ગૌમૂત્ર અને શેવાળનો ઉપયોગ કરે છે. ખેડૂતના અનુભવ મુજબ, અઢી કિલો આંકડાનાં પાન તથા અઢી કિલો કરેણના પાનને ઝીણાં વાટી દસ લિટર પાણીમાં ઉમેરી ધીમા તાપે દ્રાવણ અડધું થાય ત્યાર બાદ આ દ્રાવણને ઠંડું પડયે ગાળી લઈ તેમાં અઢી લીટર ગૌમૂત્ર અને એક કિલો દરિયાઈ શેવાળ ઉમેરવામાં આવે છે. આ દ્રાવણને ૨૪ કલાક રહેવા દીધા પછી ગાળી લઈ એક પંપમાં ૫૦૦ ગ્રામ મુજબ છંટકાવ કરવાથી રીંગણના કોકડાઈ ગયેલા છોડમાં નવી ફૂટ અને ફુલ આવે છે. આ પદ્ધતિ છ-છ દિવસના અંતરે ત્રણ વખત કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે.
આ પદ્ધતિ સંશોધકે પોતાના ખેતરમાં અજમાવી છે. આસપાસના પડોશી ખેડૂતોને તેના પ્રયોગો બતાવેલા છે અને સૌએ તે જોઈને અજમાવવાની તૈયારી પણ બતાવી છે. આ પદ્ધતિમાં સાવચેતી એ જ રાખવા છે કે દરિયાઈ શોવાળને ઓછામાં ઓછા ૨૪ કલાક ભીંજવવાની છે, જેથી શેવાળનો અર્ક દ્રાવણમાં આવી જાય. દવાનો છંટકાવ વહેલી સવારે કરવાથી વધુ ફાયદો થાય છે. છંટકાવ કરતી વખતે છોડ પૂરેપૂરો ઉપરનીચે ભીંજાય જાય તે રીતે દવા છાંટવાની હોય છે. અમારા ગામના રમેશભાઈ અમથાભાઈ રબારી તથા હિતેશભાઈ રમેશભાઈ રબારીએ આ દવાનો ઉપયોગ કરી પરિણામો લીધેલા છે.
સંશોધક મુકેશભાઈ રબારી પાસે માત્ર પાંચ વિધા ટૂંકી જમીન છે, જેમાં મુખ્યત્વે શાકભાજી અને પશુઓ માટે લીલો ચારો ઉગાડે છે. માત્ર ત્રણ ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે ૩૨ વર્ષના મુકેશભાઈ અવનવું વાંચવાનો શોધ ધરાવે છે અને ખેતીમાં પ્રયોગો કરી ઓછા ખર્ચે સારી ખેતી કરવા તેઓ મથતા હોય છે. (૧૯(૪):૦૬)

પ્રયોગ : રીંગણામાં કોકડવા નિયંત્રણ કેમ કરવું? Read More »