FSSAI (ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) દ્વારા ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ દ્વારા પ્રસિદ્ધ થયેલ અહેવાલના આધારે પ્રવર્તમાન સમયમાં ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ જંતુનાશક રસાયણોના અવશેષ અંગે મોનિટરીંગ ઓફ પેસ્ટિસાઇડ રેસીડ્યુ એટ નેશનલ લેવલ (MPRNL) નું એક ડિવિઝન ભારત દેશની ૨૭ જેટલી લેબોરેટરીમાં કાર્યરત છે. આ યોજના અંતર્ગત બજારમાંથી તેમજ ખેડૂતોના ખેતર પરથી જુદા-જુદા શાકભાજી, ફળો, અનાજ, કઠોળ, દૂધ, મસાલા, પાણી, તેલીબિયાં તથા સજીવ ખેતપેદાશોના નમૂનાઓ એકત્રિત કરી જંતુનાશકોના અવશેષોની માત્રા જાણવા માટે પૃથક્કરણ કરી અવશેષોની માત્રાનો અહેવાલ ભારત સરકારને આપે છે



