July 13, 2026

શાકભાજીમાં અવશેષોની માત્ર ચિંતાનો વિષય છે .

ભારત દેશમાંથી કુલ ૨૩,૬૬૦ નમૂનાઓ એકત્રીત કરવામાં આવેલ હતા તેમાંથી ૪૫૧૦ (૧૯.૧%) નમૂનાઓમાં જંતુનાશકના અવશેષો માલુમ પડેલ હતા જેમાંથી ૫૨૩ (૨.૨%) નમૂનાઓમાં અવશેષનું પ્રમાણ મહત્તમ અવશેષ મર્યાદા કરતાં વધુ જોવા મળેલ હતું. આ પરિણામ પરથી એક નિષ્કર્ષ એ કાઢી શકાય કે, જે તે પાક ઉપર રજીસ્ટર્ડ ન થયેલ હોય તેવા જંતુનાશકોનો છંટકાવ પણ કરવામાં આવે […]

શાકભાજીમાં અવશેષોની માત્ર ચિંતાનો વિષય છે . Read More »

ફળમાખી ઠંડી સિવાય આખું વર્ષ ઉપદ્રવ કરે છે

કેટલાક વેલાવાળા શાકભાજી અને ફળ પાકોમાં ફળમાખીનો ઉપદ્રવ જોવા મળે છે. સામાન્ય રીતે આ જીવાત ગરમ વાતાવરણમાં વધુ સક્રિય હોય છે અને શિયાળાની ઋતુમાં નિષ્ક્રીય થઈ જાય છે.બેકટ્રોસેરા ઝેનાટા જાતિની ફળમાખીનો ઉપદ્રવ તીવ્ર ઠંડી સિવાય (જાન્યુઆરી-ફેબ્રુઆરી) સમગ્ર વર્ષ દરમ્યાન જોવા મળે છે. આંબા અને જામફળના પાકમાં નુકસાન કરતી બેક્ટ્રોસેરા ડોર્સાલીસ જાતિની ફળમાખી મે માસમાં વધુ

ફળમાખી ઠંડી સિવાય આખું વર્ષ ઉપદ્રવ કરે છે Read More »

મોલો જીવાંત કયારે આવે ?

વિવિધ ખેતી પાકોમાં નુકસાન કરતી મોલો તેની જાતિ મુજબ જુદા જુદા રંગ (પીળી, કાળી, ઘાટા લીલાશ પડતી કાળી)ની હોય છે, જે યજમાન વનસ્પતિના કુમળા ભાગોમાંથી રસ ચૂસી નુકસાન કરે છે. ચોમાસાની ઋતુમાં ખાસ કરીને જુલાઈ-ઓગસ્ટ માસમાં જ્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળે ત્યારે મગફળીની કાળી મોલોનો ઉપદ્રવ વધતો જોવા મળે છે. વાદળછાયા વાતાવરણના દિવસોમાં હવામાં ભેજનું

મોલો જીવાંત કયારે આવે ? Read More »