
થોડા વર્ષોથી આખી દુનિયામાં એવો વાયરો વાયો છે કે ખેતી પેદાશના ભાવ ખેડૂતને મળતા નથી, આજે આખા વિશ્વના ખેડૂતો પ્રદર્શનો કરી કહી રહ્યા છે કે અમે જગતના તાત છીએ અમે ફૂડ પેદા કરીયે છીએ અમને બચાવો. આજે વિશ્વભરના ખેડૂતો મુંજાયને પોતાને ફાવે તેવા બીજા વ્યવસાય તરફ ખેતી છોડીને જતા રહ્યા છે , આપણે ત્યાં પણ ખેતી છોડીને સુરત, મુંબઈ, અમદાવાદ ગયા તે સુખી થયા છે? ટૂંકમાં ખેતીમાંથી પલાયન થઇ રહ્યું છે કારણ કરેલ ખર્ચ સામે પેદાશ માંથી લાગત મળતી નથી? તેથી ખેતી કરવી પોષાતી નથી? બીજા શબ્દોમાં કહીયે તો શું જગતના તાતની હવે આ વિશ્વને જરૂર નથી? પહેલા એવું હતું કે ખેડૂત વગર ફૂડ નથી એટલે ખેડૂતને જગતનો તાત કહેવાતો પણ હવે કહેવાય છે કે અમારે ફાર્મરની જરૂર નથી અમે અમારો ખોરાક ફેકટરીમાં પેદા કરી લેશું .? 2050 આવતા આવતા ખેતીમાં શું પરિવર્તન થવાનું છે તે વિચારીયે.



