જમીનમાં પોષકતત્વોનો ઉપાડ :
જમીનમાં લેવામાં આવતા પાકોને લીધે દર વર્ષે ખૂબ જ પ્રમાણમાં પોષકતત્ત્વોનો ઉપાડ થાય છે અને આ રીતે જમીનની ફળટ્ટુપતામાં ઘટાડો થાય છે. તો આવા પ્રકારના ઘટાડાને પહોંચી વળવા માટે આપણે પાકની જરૂરિયાત મુજબ જમીનમાં પોષક્તત્ત્વોનો ઉમેરો દર વર્ષે કરવો જોઈએ. આ ઉમેરો આપણે સેન્દ્રિય કે રાસાયણિક ખાતરોના સ્વરૂપમાં પાકની જરૂરિયાત મુજબ દર વર્ષે કરી શકીએ અને તે સાથે જમીનની ફ્ળદ્રુપતાની પણ જાળવણી કરી શકાય.



