પશુપાલન : કમ્પોસ્ટ પથારીના લાભ

પશુ પથારીમાં ખૂબજ ઊંચા તાપમાનના કારણે ઘાસના બીજ તથા અન્ય નુકસાનકારક જીવાણુઓનો નાશ થાય છે. જેથી દુર્ગંધનો પ્રશ્ન હલ થઈ જાય છે. વિવિધ ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્પાદન ઘટે છે. તેમજ ખૂબજ ઝડપથી લગભગ ૫-૬ અઠવાડિયામાં જ સારા પ્રમાણમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા જૈવિક/સેન્દ્રિય ખાતરનું ઉત્પાદન થાય છે. જેથી પશુપાલકો જમીનની ફળદ્રુપતા વધારી શકે છે. આ ઉપરાંત, વધારાના ખાતરનું વેચાણ કરી સારા પ્રમાણમાં “બગાડમાંથી સોનું” પેદા કરીને આવક ઊભી કરી શકાય છે. આ રહેઠાણ વ્યવસ્થા થકી પશુપાલન વ્યવસાયમાં સારા ગુણવત્તાયુક્ત પશુઉત્પાદન અને જૈવિક/સેન્દ્રિય ખાતરના ઉત્પાદન દ્વારા બમણો આર્થિક ફાયદો મેળવી શકાય છે.

Share this post: