
કોઈપણ જંતુનાશકોના અવશેષોનું પ્રમાણ જે તે ખાધ પદાર્થમાં નુકસાનકારક છે કે નહીં તે નક્કી કરવા માટે વૈજ્ઞાનિકોએ જંતુનાશકોના અવશેષોની જે તે ખાધ પદાર્થમાં મર્યાદા નક્કી કરેલ છે. આવી મર્યાદા કરતા વધુ પ્રમાણ નુકસાનકારક નીવડી શકે છે તેમજ નિકાસલક્ષી ખેત પેદાશો બહારના દેશો સ્વીકારતા નથી.



