ડ્રીપ સિસ્ટમમાં ડ્રીપર્સ બંધાવાય નહિ એવું થઇ શકે ?

ડ્રીપ સિસ્ટમમાં ડ્રીપર્સ બંધાવાય નહિ એવું

જરૂર થઇ શકે….આ માટે

[1] પહેલું ધ્યાન રાખવાનું ફિલ્ટરની પસંદગી, આખી સિસ્ટમનું હદય “ફિલ્ટર” છે. પસંદગી કરતાં પહેલાં એ વિચારી લેવું પડે કે સિસ્ટમમાં આવનારું પાણી ક્યાંથી આવવાનું છે ? બોરમાંથી, કૂવામાંથી, તલાવડી કે સરોવરમાંથી કે પછી નદીના વહેતા પ્રવાહમાંથી ? પાણી જ્યાંથી આવવાનું હોય તે સ્થળની અસર આમાં મોટો ભાગ ભજવે છે. ઢાંકણવાળા કૂવા કે બોરમાંથી આવતા પાણી સાથે માટીના બારિક કણો જ આવતા હોઇ, એકલું “સ્ક્રીન ફિલ્ટર” પૂરતું થઈ પડે. પણ પાણી જો તલાવડી, સરોવર કે નદીના વહેતા પ્રવાહમાંથી આવવાનું હોય તો તેની સાથે તો ઘણાં બધાં કસ્તર, માટીનો ડોળ અને રેતીના બારિક કણો ઉપરાંત લીલ-શેવાળના તાતણા પણ તણાઇ આવવાના. એટલે સ્ક્રીન ફિલ્ટરની પહેલાં એક સેંડ ફિલ્ટર કે હાઈડ્રોસાઇક્લોન ફિલ્ટર પણ ગોઠવવું પડે, જેથી મોટો કચરો તેમાં રોકાઇ રહે, અને પછીનું કામ સ્ક્રીન ફિલ્ટર સંભાળી લેશે

[2] બીજું ધ્યાન રાખવાનું ફિલ્ટરની સફાઈ બાબતે : પ્લાંટની આપણી જેવી હાંકણી; ઓછો વપરાશ હોય તો 3-4 દિવસે અને નહીંતો રોજેરોજ ફિલ્ટરની સફાઈ અને એ પણ એવી રીતે કરવાની કે ફિલ્ટરમાં જમા થયેલ કચરો સહેજ પણ ડીલીવરી પાઈપમાં ન પ્રવેશવા પામે,

[૩] ક્યારેક ક્યારેક લેટરલ લાઈનનાં છેવાડાના છેડા ખોલતા રહી અંદર જમા થયેલ ડોળ-કચરો કાઢતા રહેવું જોઈએ.