જમીન ચકાસણી શા માટે ?

  • ૧. જમીનનું બંધારણ, નિતારશક્તિ, ભેજ સંગ્રહશક્તિ જેવા જમીનના ભૌતિક ગુણધર્મો જાણવા.
  • ૨. જમીનની પાકને પોષકતત્ત્વો પૂરા પાડવાની શક્તિ જાણવા એટલે કે જમીનની ફળદ્રુપતાની કક્ષાનું પ્રમાણ જાણવા.
  • ૩. જમીનમાં આપેલા ખાતરનો વપરાશ જાણવા.
  • ૪. જુદા જુદા પાકમાં ખાતરોની જરૂરિયાત નક્કી કરવા, અર્થાત્ ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવા.
  • ૫. જમીનનો અમ્લતા આંક અને દ્રવ્યક્ષારોનું પ્રમાણ જાણવા.
  • ૬. ખારી કે ભસ્મિક જમીનનોની સુધારણાની પદ્ધતિનક્કી કરવા માટે.
  • ૭. ગામ, તાલુકા, જિલ્લા કે રાજ્ય કક્ષાએ જમીનની ફ્ળદ્રુપતાનો નકશો તૈયાર કરવા.
  • ૮. જમીનનું ધોવાણ અને એના સંરક્ષણ માટેની જરૂરિયાત નક્કી કરવા અથવા જણાવા.
  • ૯. જમીનના રાસાયણિક અને ભૌતિક ગુણો વડે જમીનની પાક સંબંધી લાયકાત જાણવા.

Share this post: