
ફર્ટિગેશન વિશે સમજવા આ વાત ને ધ્યાન માં લ્યો .દાખલ તરીકે તમે લીલા મરચાની જાત નામધારી 2401 વાવી છે અને તમે માર્કેટ યાર્ડમાં 50 મણ – 1000 કિલો લીલા મરચા તોડી ને વેચવા જાવ છો . ત્યારે તમારી જમીનમાંથી શું ઓછું થયું ? તમે શું વેચ્યું ? ૧૦૦૦ કિલો એટલે ૫૦ મણ લીલા મરચા તમે વેચવા ગયા છો. તમારી જમીનમાંથી શું ઓછું થયું ? આ જે ઓછું થયું તેને મરચીનું ક્રોપ રીમુવલ કહે છે. ૧૦૦૦ કિલો મરચા પકવવા માટે 5 કિલો નાઈટ્રોજન તત્વ , ૨ કિલો ફોસ્ફરસ તત્વ ,6 કિલો પોટાશ તત્વ અને ૯૦૦ ગ્રામ મેગ્નેશિયમ તત્વ અને જરૂરી કેલ્શિયમ જેવા સૂક્ષ્મ તત્વોનો ઉપાડ થાય છે. આટલું તમારી જમીનમાંથી આ વીણી દવારા ચુસાઈ ગયું , ઓછું થાય કે નહિ ? તમારે હવે પછી બીજી વીણી લેવી છે તો બીજું નાખવું પડે કે નહિ ??? યાદ રાખજો આ ચમત્કારિક ક્રોપ રિમૂવલ આંકડો 5-2-6-9૦૦. આને ફર્ટીગેશન ડેટા કહેવાય છે .



