દિવેલામાં નીંદણ નિયંત્રણ કેમ કરવું ?

દિવેલામાં નીંદણ નિયંત્રણ

ઉત્તર ગુજરાત ખેત-હવામાન વિસ્તાર (ખેતી આબોહવા પરિસ્થિતિ-૧) માં પિયત દિવેલાનું વાવેતર કરતાં ખેડૂતોને દિવેલાના પાકમાં અસરકારક અને અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે વાવણી બાદ ૩૦ અને ૬૦ દિવસે એમ બે -વખત આંતરખેડ તેમજ બે વખત હાથ નીંદામણ કરવાની સલાહ આપવામાં આવે છે. વળી, જે ખેડૂતો લીલા ઘાસ-ચારા મટે રજકાના વાવેતરમાં રસ ધરાવતા હોય તેઓને પણ સલાહ આપવામાં આવે છે કે અગાઉની વાવણી કરેલા દિવેલાના પાકમાં વાવણી બાદ ૩૦ અને ૬૦ દિવસે એમ બે આંતરખેડ અને બે વખત હાથ વડે નીંદામણ કરી ઓકટોબર મહિનામાં રજકાના બીજને ટૂંકી દેવા.

Share this post: